Satya Tv News

આદિવાસી વિસ્તાર અને મુખ્ય માર્ગ પર ટાવર લાગતા અંધકાર દૂર થશે

વાગરા ના વછનાદ ગામે કંસાઈ નેરોલેક કંપનીએ બે હાઈ માસ્ટ ટાવર નું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.ગ્રામજનોએ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    વાગરા ના સાયખાં કેમીકલ ઝોન માં આવેલ કંસાઈ નેરોલેક કંપની લોકહિત ના કાર્યો સુવ્યવસ્થિત રીતે કરી રહી છે.કંપની પોતાના સી.એસ.આર. ફંડ માંથી લોકોની સુખાકારી માં વધારો કરવા સતત પ્રયત્નશીલ છે.વાગરા પંથક ના ગામોમાં વિકાસ કામો કરી કંપની પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી રહી છે.કંપની એ અત્યાર સુધી કરોડો ના ખર્ચે ગામડાઓમાં વિકાસ કાર્યો કર્યા છે.અને આટલે થી નહિ અટકતા કંપનીએ વિકાસ કાર્ય ને વેગીલું બનાવ્યુ છે.વાગરા તાલુકા ના વછનાદ ગામમાં કંપનીએ લાખો રૂપિયા ના ખર્ચે બે હાઈમાસ્ટ ટાવર નું નિર્માણ કર્યું હતુ. ગામની નવી નગરી માં રહેતા આદિવાસી લોકોને પડતી હાલાકી ને હાઇમાસ્ટ ટાવર લગાવી ને દૂર કરી હતી.નવી નગરી ના ટાવર નું કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ ના હસ્તે તેમજ ગામના મુખ્ય માર્ગ ઉપર કંપની ના ઇ.એચ.એસ. હેડ નવીન પંત ના હાથે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે કંપનીમાંથી ઉપસ્થિત કર્મચારીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.ગામના અંધકાર ને દૂર કરવા બદલ ગામ અગ્રણી પ્રવિણસિંહ ચૌહાણે કંપની સત્તાધીશોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને ભવિષ્ય માં પણ ગામના વિકાસ માં સહભાગી બનવા અપીલ કરી હતી.લોકાર્પણ કાર્યક્રમ માં ગ્રામજનો, તલાટી અંકુરભાઈ,સિક્યોરિટી એડમીન પરેશભાઈ પટેલ અને રાજીવ સક્સેના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: