
*નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મગરદેવ ગામે વધુ પડતા વરસાદના કારણે ભરતભાઈ દમણીયાભાઈ વસાવા નાઓનું ઘર પડી જતા તેઓનુ અનાજ પાણી તેમજ ઘર સર સામાનને ઘણુ નુકસાન થવા પામેલ હતું. જે અંગેના સમાચાર સોશ્યલ મીડિયામાં વહેતા થયા હતા. જે બાદ દક્ષિણ ગુજરાતના અલગ અલગ તાલુકાના શિક્ષિત આદિવાસી યુવાનો દ્રારા ભેગા મળી બનાવવામાં આવેલ પ્રકૃતિ પુજક સામાજિક આદિવાસી ગ્રુપ નાઓને મળતા ગ્રુપના ઝરાવાડી (ઉમરપાડા) ના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ડી.વસાવા તથા જામ્બાર (દેડીયાપાડા) ઉપ પ્રમુખ અરવીંદભાઇ એચ.વસાવા નાઓની માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ પૂજક સામાજિક આદિવાસી ગ્રુપના સભ્ય જગદીશભાઇ વસાવા, જયરામભાઇ વસાવા, જીતુભાઇ વસાવા તેમજ અન્ય મિત્રો દ્રારા તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ મગરદેવ ગામે જઇને ભરતભાઈ વસાવા નાઓને જરૂરિયાત મુજબનુ અનાજ પાણી પહોંચાડી સામાજિક ભાવના તેમજ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
*રિપોર્ટર: સર્જન વસાવા ડેડીયાપાડા*