Satya Tv News

આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે નિયામક આયુષ ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા હાસોટ કુમાર શાળા ખાતે મેગા નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન અને નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી.

હાંસોટ કુમાર શાળા ખાતે યોજાયેલ મેગા નિદાન ચિકિત્સા કેમ્પ માં આયુર્વેદ વિભાગના મેડિકલ ઓફિસર વૈદ્ય જતીનભાઈ પટેલ, વૈદ્ય વસંતભાઈ પ્રજાપતિ, વૈદ્ય ચિરાગ ગુજરાતી, વૈદ્ય ગૌતમ જસાણી, જ્યારે હોમિયોપેથીમાં મેડિકલ ઓફિસર ડોક્ટર નરેશ પટેલ, ડોક્ટર પ્રવિણ પટેલ,ડોક્ટર વાસુદેવ દરજી, ફાર્માસિસ્ટ કંચન ભાઈ પટેલ, વિનોદભાઈ બારીયા, નગીન બારીયા, તથા ચૈતન્યભાઈ શાહે,સેવાઓ આપી હતી

error: