Satya Tv News

ભરૂચ આંબેડકર ભવનમાં ખાસ સાધારણ સભાનું કરાયું આયોજન
રીએમેજિનના મેનેજર,ફાઉન્ડર,હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

17 મી ડિસેમ્બર 2021 ભરૂચમાં પેન્શનર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લા ખાતે પેન્શનર્સ ડે ની ઉજવણી નિમિત્તે શુક્રવારના રોજ આંબેડકર ભવનમાં ખાસ સાધારણ સભાનું આયોજન આવ્યું હતું.

સાધારણ સભાના પ્રારંભમાં વર્ષ દરમિયાન મૃત્યું પામનાર પેન્શનર્સ સભ્યોની આત્માની શાંતિ અર્થે મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.ત્યારબાદ વયસ્ક સભ્યોનું મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ખાસ સાધારણ સભામાં મુખ્ય મહેમાન રીએમેજિનના મેનેજર અને ફાઉન્ડર અભિષેક મિશ્રા, ડિરેક્ટર મનોજ પાઠક વિશેસ ઉપસ્થિત રહ્યા હતા.પેન્શનર્સ ડે ની ઉજવણી પ્રસંગે પેન્શનર્સ મંડળના પ્રમુખ માનસિંહ રણા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.સભામાં હાજર મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કરીને પેન્શનર મંડળની પ્રવુતિઓને બિરદાવી હતી

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: