Satya Tv News

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા વર્ષ 2022ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
નવનિયુક્ત પ્રમુખ તરીકે એડવોકેટ મહંમદ રઈસ મહંમદ હુસેન સૂફીની વરણી
પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની બિનહરીફ કરવામાં આવી હતી

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા વર્ષ 2022ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે એડવોકેટ મહંમદ રઈસ મહંમદ હુસેન સૂફીની વરણી કરવામાં આવી હતી.

:
અંકલેશ્વર ખાતે તાલુકા વકીલ મંડળના નવા વર્ષના પદાધિકારીઓની વરણી અંગેની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની બિનહરીફ કરવામાં આવી હતી.

વર્ષ 2022 માટે પ્રમુખ તરીકે મહંમદ સુખી ઉપપ્રમુખ તરીકે કમલેશ ઝેડ મોદી તેમજ અનંત આનંદ પોખરીયાલ, સેક્રેટરી તરીકે ઈમ્તિયાઝુદ્દીન શેખ જોઇન્ટ સેક્રેટરી તરીકે નિતીન વકીલ ખજાનચી તરીકે પરેશ પરમાર અને લાઈબ્રેરી તરીકે શૈલેષ ભગત સહિતના નામોનો સમાવેશ થયા છે. તમામ હોદ્દેદારોને ફુલહાર કરી સન્માન કરી વધાવી લેવામાં આવ્યા હતા.

વિડીયો જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: