Satya Tv News

AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો અને યોજાય પત્રકાર પરિષદ
પ્રોજેક્ટ ચેરમેને આપી એક્સ્પો અંગે સમગ્ર માહિતી

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નેજા હેઠળ તારીખ 6ના રોજ યોજાનાર એઆઈએ ઇન્ડસ્ટ્રિયલ એક્સ્પો અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભરૂચ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નેજા હેઠળ આગામી તા.૬ જાન્યુઆરી થી ૮ જાન્યુઆરી દરમિયાન એઆઇએ ઇન્ડસ્ટ્રીઅલ એક્સ્પો-૨૦૨૨ યોજાશે.જેમાં દેશભરમાંથી નાના-મોટા ૨૫૦ જેટલા ઉદ્યોગ એકમોમાં ભાગ લેશે.અત્રેના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ત્રી દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો યોજાશે ,જેનું ઉદઘાટન રાજ્યના ઉદ્યોગ અને વન પર્યાવરણ મંત્રી કરશે. કોવિડ ની ગાઈડ લાઈન પ્રમાણે મુલાકાતીઓને પ્રવેશ અપાશે તેમ આયોજકોએ જણાવ્યું હતુ.આજરોજ આ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાય હતી જેમાં પ્રોજેકટ ચેરમેન પ્રવીણ તેરૈયા, ઉધોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાની સહીત હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: