Satya Tv News

સુરત માં 14 વર્ષીય કિશોરી ઘરમાં ગળે ફાસો ખાઈને કરી આત્મહત્યા
પિતાએ કોરોના લઇને ઉતરાણ ને લઇને ફ્રેન્ડ સાથે ફરવા જવાની ના પાડતા કર્યો આપઘાત
પિતાએ આ બાબતે ઠપકો આપતા કિશોરી આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાઉ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું મૃતક સગીરાના પિતાએ કહ્યું હતું. પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરી એ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું પરિવારે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક સગીરાના પિતા એ જણાવ્યું હતું કે, દીકરી ધોરણ-10 માં અભ્યાસ કરતી હતી. આજે મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે બપોરના ભોજન બાદ પરિવાર ઘર બહાર બેસવા ગયો હતો. 10 મિનિટ બાદ બાળકોની બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નીચે ઉતારી સારવાર માટે લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કરી હતી. ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી.

જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: