Satya Tv News

અંકલેશ્વરમાં માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિ
પટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા શ્રધ્ધાંજલિ
આરોપીને ફાંસીની સજા કરવાની માંગણી


અંકલેશ્વરના પટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા ધંધુકા ગોળીમારી હત્યા કરવામાં આવેલ માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી


અમદાવાદાના ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવાન કિશન બોળીયાની વિધર્મી ઈસમોએ ગોળીમારી હત્યા કરી હોવાના મામલે સમગ્ર રાજ્યમાં હિંદુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલામાં સંડોવાયેલ તમામ ઇસમો સામે કડક રાહે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે અંકલેશ્વરના પટેલ નગર ખાતે કરણી સેના અને માલધારી સમાજના આગેવાનોએ મૃતક યુવકને કેન્ડલ પ્રજ્વલિત કરી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને આરોપીને ફાંસીની સજા કરવાની માંગણી કરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: