Satya Tv News

અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મા કંપનીમાં રાત્રી દરમ્યાન થયો બ્લાસ્ટ.

બ્લાસ્ટમાં પાંચ કામદારો ગંભીર દાઝતા ખસેડાયા સારવાર હેઠળ..

YouTube player

સારવાર દરમ્યાન બે કામદારોના નીપજ્યા કરુણ મોત.

સેફટી વિભાગ અને GIDC પોલીસે કાર્યવાહી હાથ ધરી.

અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મા કંપનીમાં રાત્રી દરમ્યાન અચાનક બ્લાસ્ટ થતા પાંચ જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા. જેમાં સારવાર દરમ્યાન બે કામદારોના કરુણ મોત નિપજવા પામ્યા હતા.

અંકલેશ્વર GIDCમાં આવેલ અભિલાષા ફાર્મા કંપની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. જે દરમ્યાન કંપનીના રીકેટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખ્યા બાદ ઉપરના ભાગેથી ઢાંકણ ખોલતા સ્પાર્ક થવાના કારણે આગ લાગી હતી. જેમાં નજીકમાં કામ કરતા સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, ગોપાલ સુદામ, રઘુનાથ બુદ્ધિ સંકેત, હરિઓમ ઉપાધ્યાય અને રામદિન મંડલ ગંભીર રીતે દાઝી જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરુંણ મોત નિપજવા પામ્યું હતુ.જ્યારે વધુ ત્રણ કામદારો હાલ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે. તેવામાં કંપનીમાં સેફટી બાબતે સવાલો ઉભા થવા પામ્યા હતા.જેને પગલે ઘટનાની જાણ ભરૂચ સેફટી વિભાગ અને GIDC પોલીસને થતા અભિલાષા ફાર્મા વિરુદ્ધ પગલાં ભરવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર.

error: