Satya Tv News

ભરૂચ શુક્લતીર્થ ગામે વીજતારમાં સ્પાર્ક થતાં ખેતરમાં લાગી આગ
આગમાં 25 એકરના શેરડીનો પાક બળીને થયો ખાખ
ખેડૂતોમાં વીજ કંપની સામે ભભૂકતો રોષ
ખેડૂતોના મોઢે આવેલો કોળિય છીનવાયો

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નમી ગયેલા વીજ પોલના બે વાયર ભેગા થઈ જતા 25 એકરમાં શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કરી વળતરની માંગ કરી છે.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પોટ તલાવ વિસ્તારમાં આવેલ કોટેશ્વર પેટ્રોલ પંપ સામે આવેલા ખેતરોમાં 25 એકર શેરડીના પાક બળીને ખાખ થઇ જતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે. ખેડૂતો દ્વારા વારંવાર વીજ કર્મચારીઓને રજૂઆતો કરવા છતાં પણ વીજ કર્મચારીઓ કોઈ પ્રકારનું ધ્યાન ન આપતા આજે મોટી હોનારત સર્જાઇ હોવાનો અસરગ્રસ્ત ખેડૂતો હિતેશભાઈ ગોવિંદભાઇ પટેલ, ભાવેશભાઈ ઠાકોર ભાઈ પટેલ, જયેન્દ્રસિંહ, બરવંતસિંહ પરમાર, અજીતસિંહ અમીરસિંહ રાજ, જનકભાઈ બરવંતભાઈ નિઝામા, દેવેન્દ્રસિંહ ગેમલસિંહ રાજ મહેશભાઈ માછીપટેલ, વિથથલભાઈ જેઠાભાઈ નિઝામા, અતુલભાઈ ગજન ભાઈ નિઝામા, દેવેન્દ્રસિંહ ગેમલસિંહ પરમાર, મુકેશભાઈ ગણપત ભાઈ પટેલ જણાવી રહ્યાં છે.નોંધનીય છે કે આ અગાઉ પણ ચાર વર્ષ પહેલા આ સ્થળ પર આ જ રીતે શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આ ફરીવાર આ બનાવ બનતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વીજ પોલ વ્યવસ્થિત ન કરાતા મોટી હોનારત સર્જાઇ હતી. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે વીજ કર્મચારીઓની નિષ્કાળજીના કારણે વીજપોલ નમી પડેલા વીજપોલ ના તાર બે ભેગા થઇ જતાં જેનામાં થી ચરખા ઉડતા શેરડીના પાકમાં પડતા 25 એકર શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી.તેવામાં ખેડૂતો એક પછી એક કુદરતી આફતો નો માર વેઠીને માંડ ઊભા થઈ રહ્યા હોય ત્યારે આવી હોનારતો સર્જાઇ રહી છે તો ખેડૂત કઈ રીતે પગભર થાય છે તે જોવું રહ્યું આ સંદર્ભે ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી આસ સાથે ખેડૂતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: