Satya Tv News

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી શીશુ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિનની ઉજવણી
શ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યાએ આમંત્રિતોને આવકાર્યા
આયોજિત કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ તેમજ તેમના વાલિઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી વિદ્યામંદિર શાળામાં માતૃ પિતૃ પુજન દિવસ મનાવવામાં આવ્યો હતો. શ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યાએ આમંત્રિતોને આવકાર્યા હતા અને તેમના પ્રસંગોચિત વકતવ્યમાં માતા-પિતા પુજન દિવસનો હેતુ વિસ્તારથી સમજાવ્યો હતો. અંજનાબેન પંડ્યાએ આજના દિવસે બાળકો એ શં શું કરવુ જોઇએ તેની સમજ આપી હતી. બાળકને જન્મ આપનાર માતાપિતાના સહારાથી બાળક પાપા પગલીથી શરુ કરીને જીવનમાં આગળ વધે છે. બાળકના જીવન ઘડતરમાં માતાપિતાનું યોગદાન હોય છે. બાળક પર માતાપિતાના અગણ્ય ઉપકારો હોય છે, ત્યારે બાળકની પણ ફરજ બની રહે છેકે માતાપિતાના ઉપકાર જીવનભર યાદ રાખીને તેમનું સન્માન જાળવે. તેમજ આ પ્રસંગે બાળકોએ માતા પિતાને માન આપીને તેમના આશિર્વાદ મેળવવા જોઇએ એમ સમજ આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ તેમજ તેમના વાલિઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: