Satya Tv News

ઝઘડિયાના એક ગામમા સામુહિક બળાત્કારની ઘટના સામે આવી,16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

ઘટનાને પગલે ઝઘડિયા પંથકમાં અરેરાટી વ્યાપી,ઝઘડિયા પોલીસે ગુનો નોંધી અંકલેશ્વર DYSPએ તપાસ હાથ ધરી


ઝઘડિયા તાલુકાના એક ગામના 16 વર્ષીય કિશોરી પર 8 નરાધમોએ ઉપરાછાપરી બળાત્કાર ગુજારતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના મામલે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 8 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલવા સાથે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ તપાસનો દોર શરુ કર્યો છે.


પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામમાં 16 વર્ષીય ગામમાં જ એક લગ્ન પ્રસંગમાં ગઇ હતી. જે દરમ્યાન ગામના નરાધમ વિલાશ ચંદ્રેશ વસાવાએ કિશોરીને પતાવી ફોસલાવી ફરવા લઇ જઈશ અને પૈસા આપીશ જેવી લાલચ આપી હતી. જે બાદ KTM મોટર સાઇકલ પર બેસાડી ગામની સીમના ખેતરમાં લઇ જઇ કપડાં કઢાવી નગ્ન કરી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ નરાધમ વિશાલે પોતાના મિત્રો કમલેશ ચંદ્રેશ વસાવા રહેવાસી મોરતાળાવ ઝઘડિયા તથા કાર્તિક પ્રવીણ વસાવા, મનોજ મુકેશ વસાવા, ભાવિન સુરેશ વસાવા, અક્ષય રાજુ વસાવા, મેહુલ કલ્પેશ પટેલ અને શાહિલ શબ્બીર મોગલ તમામ રહેવાસી માંડવા અંક્લેશ્વરનાઓને બોલાવ્યા હતા. જે બાદ તમામ સાતેય નરાધમોએ એક બાદ એક માસુમ કિશોરીને પીંખી નાખી હતી.

નરાધમોથી પીંખી નંખાયેલ કિશોરીએ સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવતા માતાએ તાત્કાલિક ઝઘડિયા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તાત્કાલિક અસરથી IPC 363,366,376 (D), 114 તથા પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ આઠેય નરાધમોએ જેલના સળિયા પાછળ ધકેલવાની કવાયત અર્થે ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: