Satya Tv News

મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના ૧૦૦ જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા, પોચાભાઈ ફાઉન્ડેશન અને જિલ્લાવહિવટતંત્રના સંયુક્ત ઉપક્રમે CSR એક્ટીવીટી અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના પ્રોજેક્ટના અનાવરણમાંરાજપીપલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.જે.ભટ્ટે કહ્યું હતું કે, એલોપેથીક દવા વાપરવાને બદલે આર્યુવેદિક દવાઓનો મહત્તમ ઉપયોગ લોકોએ કરવો જોઇએ. મેડીશીનલ પ્લાન્ટ થકી વનસ્પતિઓનું પધ્ધતિસરનું આયોજન હાથ ધરવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોની આવક વધશે તેની સાથોસાથ આવનારી પેઢીઓ પણ વનસ્પતિ વિશે જાણશે અને તેનો વધુ ઉપયોગ કરશે. લોકોની આસપાસ અનેક એવી વનસ્પતિઓ હશે જેનો ઉપયોગ કોઇને કોઇ રીતે આર્યુવેદિક દવાઓ તરીકે થતો હશે પરંતુ આપણી પાસે તેની સાચી સમજ ન હોવાને કારણે ઘણી વનસ્પતિઓ ધીમે ધીમે લુપ્ત થતી હોવાની સાથે રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થયું છે. જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ અને ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો આવવાને કારણે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હોવાનું શ્રી ભટ્ટે ઉમેર્યું હતું.

આ પ્રસંગે GACL એજ્યુકેશન સોસાયટીના કોઓર્ડિનેટરશ્રી દિનેશભાઇ મકવાણા અને ગુજરાત બાયોડાયવર્સિટીના બોર્ડનીસ્ટ શ્રી વિવેકભાઇ વેગડાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં CSR હેઠળ થતી પ્રવૃત્તિઓનો વ્યાપ સતત વધી રહેલ છે.જેના કારણે એસ્પીરેશનલ જિલ્લાના શિક્ષણ, પોષણ, આરોગ્ય અને ખેતીવાડી તથા પશુપાલન સહિત ના ઇન્ડિકેટર્સ માં ઝડપથી સુધારો નોંધાયેલ છે. આ પ્રસંગે મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના ૧૦૦ જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.

વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: