Satya Tv News

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ સતત 500 થી નીચે નોંધાઇ રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત ઘટાડો થયો છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાના 90 થી પણ વધુ કેસો ઘટયા છે. જેના પગલે સરકાર કોરોનાને લઇને નિયંત્રણો હળવા કરવાના પ્રયાસમાં છે.

ગુજરાતમાંસતત ઘટી રહેલા કોરોના સંક્રમણના લીધે રાજય સરકાર અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. તેમજ તેના પગલે આગામી માર્ચ માસમાં લોકોને વધુ કોરોના રાહત મળી શકે તેવી શકયતા છે. જેમાં રાજયના મહાનગરોમાં પણ કોરોના સંક્રમણ ઘટ્યું છે. જેના પગલે માર્ચ માસમા આવનારી નવી કોરોના એસઓપી વધુ રાહત મળી શકે છે.

તેમજ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ સતત 500થી નીચે નોંધાઇ રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત ઘટાડો થયો છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાના 90 થી પણ વધુ કેસો ઘટયા છે. જેના પગલે સરકાર કોરોનાને લઇને નિયંત્રણો હળવા કરવાના પ્રયાસમાં છે. જેમાં 28 ફેબ્રુઆરી સુધી મહાનગરોમાં કોરોનાનો રાત્રિ કરફ્યુ અમલી છે. તેમજ સરકારે મુકેલા માસ્ક સહિતના નિયંત્રણો અમલી છે. તેવા સમયે માર્ચ માસમાં આવનારી નવી ગાઈડલાઇનમાં કરફ્યુ નાબૂદી સહિતના નિયંત્રણો હળવા થશે તેવી લોકોને અપેક્ષા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા જ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાંથી મુક્તિ મળી શકે છે. રાજ્યના મુખ્યપ્રધાને થોડા દિવસ અગાઉ ગિફ્ટ સિટીમાં એક બેઠકને સંબોધતા માસ્ક હટાવવાના સંકેત આપ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું હતું કે મહામારીમાંથી બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ બહાર આવીશું. આ અંગે માર્ચ માસમાં આ અંગે નિર્ણય લેવાય શકે છે. ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક પહેરવો ફરજિયાત કરાયો છે. ગુજરાત હાઈકોર્ટે નિયમનો ભંગ કરનારા સામે 1 હજાર રૂપિયાનો દંડ વસુલવા આદેશ કર્યો હતો.

આ ઉપરાંત હાલ ગુજરાતમાં કુલ 1,86,089 લોકોનું રસીકરણ થયું છે. ગુજરાતનો કોરોના વાયરસનો રિકવરી રેટ 98.79 ટકા છે.

error: