Satya Tv News

ભરૂચમાં ભાજપની દક્ષિણ ઝોનની બેઠક પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઈ

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા.

માર્ચ મહિનામાં યુવા મોરચા દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

ભાજપ પ્રદેશ યુવાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ કોરાટ ના અધ્યક્ષ સ્થાને ભરૂચના કોલેજ રોડ ખાતે આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે દક્ષિણ ઝોન ની ભાજપ યુવા મોરચાની બેઠક મળી હતી.જેમાં વડાપ્રધાન મોદી ની આગામી ગુજરાત મુલાકાત અને યુવા મોરચાના કાર્યક્રમો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આત્મીય સંસ્કારધામ ખાતે મળેલ ભાજપ યુવા મોરચા ના દક્ષિણ ઝોનની બેઠકની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડો.શ્યામપ્રસાદ મુખરજીની તસ્વીરને ફુલહાર કરી વંદેમાતરમ્ નું ગાણ કરી શરૂઆત કરી હતી.બેઠકમાં આગામી ૧૨ મી માર્ચ ના રોજ ખેલ મહાકુંભ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદી આવનાર છે જે માટે ના આયોજન ઉપરાંત યુવા દિન ની ઉજવણી ,પંચાયત ચૂંટણી ના વિજેતાઓ ના સન્માન વિગેરે જેવી વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી આગામી વિધાનસભા ચૂંટણી ની તૈયારી માટે ની કવાયત હાથ ધરવામાં આવી હતી.આ બેઠક માં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ ભોલાવ,ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા,ભાજપ યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી ઈશાંતભાઈ સોની,ભાજપ યુવા મોરચાના પ્રદેશ મંત્રી ભાવિકાબેન ઘોધારી અને સૂરજભાઈ દેસાઈ સહિતભરૂચ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,ભરૂચ ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર અને ધર્મેન્દ્ર પુષ્કરણ સહિત દક્ષિણ ઝોન ના હોદ્દેદારો તેમજ વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: