Satya Tv News

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. 24 કલાકમાં શહેર-જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. ઉપરાંત શહેર અને જિલ્લામાંથી 9 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેથી રિક્વરી રેટ વધીને 99 ટકાને પાર થયો છે. 72 દિવસ બાદ સિવિલ અને સ્મીમેરમાં કોરોના દાખલ દર્દીઓની સંખ્યા 0 નોંધાઈ છે.

સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 204979 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 27થી વધુ એક્ટિવ કેસ છે.

કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2,02,704 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42,237 લોકોનો સમાવેશ થાય છે.

શહેરમાં કોરોના વાઈરસના ઘટી રહેલા કેસ વચ્ચે કોવિડ પોઝિટિવિટી રેટ ઘટીને 1 ટકાની નીચે જતો રહ્યો છે. હાલમાં કોવિડ પોઝિટીવિટી રેટ માત્ર 0.08 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા 40 દિવસમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.08 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા 15 દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા છે.

જિલ્લામાં મહુવાના નલધરાના 67 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૃદ્ધે વેક્સિનનો એક ડોઝ લીધો હતો. તેમજ તેમને ડાયબિટીસ, હાઈપર ટેન્શન, ટીબી અને અસ્થમાની બીમારી પણ હતી. 72 દિવસ બાદ એટલે કે અઢી મહિના પછી સોમવારે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ કોરોના દર્દીઓથી મુક્ત થઈ હતી. સોમવારે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ ન હતો. ગઈ તા.14 ડીસેમ્બરના રોજ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા 0 નોંધાઈ હતી.

error: