Satya Tv News

મગફળીની ઉપજમાં 35 ટકાથી વધુનો વધારો અને ખેડૂતોની આવકમાં 36 ટકાનો સુધારો

ગ્રાઉન્ડ નટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગુજરાતને વિશ્વભરમાં ટોચના મગફળી ઉત્પાદક બનાવવાનો તથા દેશને ખાદ્ય તેલના ઉત્પાદનમાં આત્મ-નિર્ભર બનાવવાનો

ટકાઉ કૃષિ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના વૈશ્વિક પ્રદાતા યુપીએલે તેના પ્રોગ્રામ હેઠળ પ્રોન્યુટિવા પેકેજનો ઉપયોગ કરીને ગુજરાતમાં ખેડૂતોને તેમના મગફળીના પાકની ઉપજમાં લગભગ 35 ટકાનો વધારો કરવામાં મદદ કરી છે.તથા આ પ્રોગ્રામને મોટાપાયે અપનાવવામાં આવે તો ભારતની ખાદ્ય તેલની આયાતો ઉપરની નિર્ભરતામાં ઘટાડો કરી શકાય.વર્ષ 2021માં ગુજરાતમાં આ પ્રોગ્રામ મગફળીની ખેતી હેઠળના 12,000 એકરથી વધુ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો. જ્યાં લગભગ 4000 ખેડૂતો કસ્ટમાઇઝ્ડ પેકેજનો ઉપયોગ કર્યો છે.તેની સાથે પ્રોગ્રામથી છેલ્લાં ત્રણ વર્ષમાં હવે 75000થી વધુ ખેડૂતોને લાભ થઇ રહ્યો છે.2.5 લાખ એકરથી વધુ વિસ્તારના ખેતરોને આવરી લેવાયા છે.આ માહિતી યુપીએલ દ્વારા યોજાયેલી પ્રેસમીટમાં અપાઈ હતી.

                   પ્રોન્યુટિવા સદા સમૃદ્ધ પ્રોજેક્ટના વ્યાપ હેઠળ મગફળીના ખેડૂતોને આઇપીએમ કિટ્સ,સોઇલ ટેસ્ટિંગ,વેધર સર્વિસિસ,ક્રોપ એડવાઇઝરી અને હાઇ-ટેક ઇનેબલ્ડ ફાર્મર મિકેનાઇઝેશન સર્વિસિસ જેવી સંકલિત કૃષિ સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી.જેથી મગફળીની ઉપજ અને આવકમાં વધારો કરી શકાય.તેમણે યુપીએલની ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રોડક્ટ “ZEBA”નો પણ ઉપયોગ કર્યો છે.જે પાણી અને પોષક તત્વો શોષે છે અને જ્યારે છોડને તેની જરૂર પડે ત્યારે તેને રિલિઝ કરે છે.આ પ્રોજેક્ટે મગફળીના ખેડૂતોના ઉત્કર્ષ માટે ટેક્નોલોજી સર્વિસિસની સાથે ઇનપુટ્સ અને એડવાઇઝરી પ્રદાન કરવાની સાથે-સાથે દેશભરમાં ખૂબજ લાભદાયી મગફળીની ખેતીને બળ આપવાની સંભાવનાઓ પણ પ્રદર્શિત કરી છે.જેના પરિણામે ખાદ્ય અને પોષણ સુરક્ષામાં યોગદાન આપી શકાય તથા દેશનના નેશનલ એડિબલ ઓઇલ મીશનમાં મદદરૂપ બને છે.

                પ્રોન્યુટિવા પ્રોગ્રામનું અમલીકરણ કરનાર ખેડૂતોએ તેમની ઉપજ અને નફામાં જબરદસ્ત લાભ જોયા છે.પ્રોગ્રામ હેઠળના ખેતરોમાં સરેરાશ ઉપજ એકરદીઠ 1056 કિલો નોંધાઇ છે.જે એકરદીઠ 800 કિલોથી વધુ છે તથા સૂકા ઘાસચારો એકરદીઠ 2500 કિલોથી વધીને 3500 કિલો થતા એકંદર એકરદીઠ આવકમાં રૂ. 20,136નો વધારો થયો છે. ખેડૂતોની સરેરાશ ચોખ્ખી આવકમાં આશરે 36 ટકાનો વધારો થયો છે.આ પ્રોગ્રામથી જે-તે વિસ્તારના યુવાનો વચ્ચે રોજગારનું પણ સર્જન થયુ છે.જ્યાં તેમને ટકાઉ કૃષિ કામગીરી અંગે તાલીમ અને કૌશલ્ય પ્રદાન કરાયુ હતુ.યુપીએલના પ્રોન્યુટિવાથી દેશભરમાં 18 લાખ એકરને આવરી લેતા 2.22 લાખ ખેડૂતોને લાભ થયો છે.

          યુપીએલના ડાયરેક્ટર,ઇન્ડિયા રિજન,આશિષ દોભાલે કહ્યુ હતુ કે, “ખેડૂતો અમારા મહત્વપૂર્ણ હીતધારકો હોવા તરીકે અમારા પ્રયાસો અને પ્રવૃત્તિઓમાં કેન્દ્રસ્થાને છે.અમે તેમના ઉત્કર્ષ અને સમૃદ્ધિ માટે સતત પ્રયાસ કરીએ છીએ. ઇનોવેશનનો ઉપયોગ કરતા ટકાઉપણાની પુનઃકલ્પના કરવાના અમારા પ્રયાસોના ભાગરૂપે ખેડૂતોને ટકાઉ પ્રેક્ટિસ અપનાવવા સક્ષમ કરવાની અમે આશા રાખીએ છીએ.જેનાથી પર્યાવરણની સ્થિતિની સાથે ખેડૂતોની આવકને પણ પ્રોત્સાહન મળશે.આ ક્રોપ પેકેજ ઉપજમાં અને મગફળીના પાકના તેલની માત્રામાં વધારો કરવા પ્રત્યે સમર્પિત છે.જે ભારતને ખાદ્ય તેલોના ઉત્પાદનમાં આત્મ-નિર્ભર બનાવવાનો પ્રયાસ છે.”

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: