Satya Tv News

અંકલેશ્વરના યુવાનો સુરત ઉમરપાડા લગ્નમાંથી પરત ફરતા નડ્યો અકસ્માત.

અંકલેશ્વરના બે યુવાનોના ઘટના સ્થળે કરુણ વધુ બે ગંભીર.

કાર ચાલકે સસ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ફિલ્મી ઢબે પલ્ટી મારી.

બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઝંખવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા.

ઉમરપાડા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાલિયા તાલુકાના ચાર યુવાનો ઉમરપાડા લગ્નમાંથી પરત ફરતા ફિલ્મીધબે અકસ્માત સર્જાતા અંકલેશ્વરના બે યુવાનોના ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે વધુ બેને ગંભીર ઇજાના પગલે ઝંખવાવ સામુહિક આરોગ્ય ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ખાતેથી ત્રણ યુવાન હનુમાન ઉર્ફે તેજશ સુરેશ બાવિષ્કાર, અમિત નટવર ચાવડા સાગરસિંહ હિમતસિંહ ચાવડા અને વાલિયાના કુલદીપસિંહ રામસિંહ દેવધરા તથા હાર્દિક રમેશ શાહનાઓ બ્રેઝા કાર નંબર GJ16 BN 1253 લઈને પાંચ મિત્રો ઉપરપાડાના કેવડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે મોડી રાત્રે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ફિલ્મી ઢબે વળાંકમાં ઘણી વાર પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલ અકસ્માતમાં અંકલેશ્વરના સંજય નગર ખાતે રહેતા હનુમાન ઉર્ફે તેજશ બાવિષ્કાર અને સુમિત નટવર ચાવડાનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ અન્ય ત્રણ મિત્રોને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ઝંખવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાદમાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ મામલે ઉપરપાડા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ઉમરપાડા

error: