Satya Tv News

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર ફળી વળ્યા હતા પાણી
માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવાની પડી હતી ફરજ
ખાડીના પાણી ઓસરતા પુનઃ વાહન વ્યવહાર શરુ કરવામાં આવ્યો

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર આજે પાણી ઓસરતા ફરી વાહન વ્યવહાર શરુ થયો છે

ગતરોજ અંકલેશ્વર પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા આમલાખાડીમાં ગોડાપૂર આવતા પીરામણ ગામ અને ગુજરાત ગેસ પાસે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા જયારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે ઉપર મોડી સાંજે પાણી ફળી વળ્યા હતા જેને પગલે માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી આજરોજ ખાડીના પાણી ઓસરતા પુનઃ વાહન વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: