Satya Tv News

રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી મુલાકાતે
મુલાકાત દરમિયાન સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિહાળ્યું
પરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો

રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા સહિત મ્યુઝીયમનું તસવીરી પ્રદર્શન પણ તેઓએ નિહાળ્યું હતું.આ મુલાકાત વેળાએ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગભાઈ રાઠવા, ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના સચિવ મુરલી ક્રિષ્ના,ગુજરાતના પૂર્વ આદિજાતિ અને વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયા, સ્થાનિક અગ્રણીઓ-પદાધિકારી ઓ પણ સાથે જોડાયા હતા.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી. તેમજ SOU ઓથોરિટીના નાયબ કલેકટર શિવમ બારીયાએ મંત્રી અર્જુન મુંડાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક ભેટ આપી હતી.આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતો લેશર-શો પણ તેઓએ નિહાળ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: