Satya Tv News

પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે

આજથી 17 ઓક્ટોબર સુધી ટ્રેનો રદ રહેશે

રેલ્વે ટ્રેકની કામગીરીને લીધે ટ્રેનો રદ કરાઇ

આજથી 17 મી ઑક્ટોબર 2022 ના રોજ સુધી પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે એક સપ્તાહ સુધી મુસાફરોને હાલાકી ભાગવવી પડી રહી છે. રેલ્વે ટ્રેકની કામગીરીને લીધે આ ટ્રેનો રદ કરવામાં આવી છે.

આજથી 6 દિવસ માટે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે. ચાંદોદ – એકતાનગરના બીચ ટ્રેકના પુનઃસ્થાપન માટે સંપૂર્ણ બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે 11મી ઑક્ટોબર થી 17મી ઑક્ટોબર 2022 સુધી નીચેની ટ્રેનો રદ કરવામાં આવશે.

  1. ટ્રેન નંબર 09108 – એકતાનગર – પ્રતાપનગર મેમુ
  2. ટ્રેન નંબર 09109 – પ્રતાપનગર – એકતાનગર મેમુ
  3. ટ્રેન નંબર 09110 – એકતાનગર – પ્રતાપનગર મેમુ
  4. ટ્રેન નંબર 09113 – પ્રતાપનગર – એકતાનગર મેમુ
error: