Satya Tv News

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. ઊંઝા કોંગ્રેસમાં ભૂંકપ આવ્યો છે. ઊંઝા શહેરના 40 કાર્યકરો દ્વારા રાજીનામું અપાયું છે, તો 15 અગ્રણીઓ દ્વારા પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર કરાઈ. કોંગ્રેસ અગ્રણી જયપ્રકાશ પટેલ, દશરથ પટેલ મહેશ ચૌધરી સહિતના નેતાઓએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સંજય પટેલ સહિત સમગ્ર ઊંઝા શહેર ટીમનું રાજીનામું પડ્યું છે. પાર્ટીમાં થતી અવગણનાને કારણે આપ્યા રાજીનામાં.

error: