Satya Tv News

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાં
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રી
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી ભાંગેલી કોંગ્રેસ હવે પગભર થવાના પ્રયાસ કરી રહી છે ત્યારે રાજસ્થાનના કેબિનેટ મંત્રીએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી હોદેદારો સાથે મિટિંગ યોજી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

વિધાનસભાની ચૂંટણી ટાણેજ વિવિધ રાજકીય પક્ષો નો ધમધમાટ શરૂ થયો છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજીએ ભરૂચ જિલ્લામાં ધામા નાખ્યા છે અને ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કોંગ્રેસીઓ સાથે સંવાદ યોજ્યા છે જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાની હેઠળ બેઠક મળી હતી જેમાં કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજીએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યા હતા કે ગુજરાતનું શિક્ષણ પડી ભાંગ્યું છે અને તેને ઉભું કરવું હશે તો કોંગ્રેસને સત્તા ઉપર લાવવી પડશે અને કોંગ્રેસ સત્તા પર કેવી રીતે આવે છે તે અંગેના તમામ પાસાઓ ઉપર ચકાસવામાં આવી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી હોદેદારો સાથે મીટીંગ કરવા સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો ઉપર બહુમતી માંથી જીત મેળવવા માટેનો હુંકાર કર્યો છે.

વિડિઓ જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: