Satya Tv News

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર રુદ્રાક્ષ રેસીડેન્સીની સામે રાહદારીને ઇક્કો કાર ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી

મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ ઋષિ રાજ રેસીડેન્સીમાં રહેતા ૫૦ વર્ષીય અરુણકુમાર મિશ્રા ગત તારીખ-૧૫મી ડીસેમ્બરના રોજ અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર રુદ્રાક્ષ રેસીડેન્સીની સામેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ઇક્કો કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અરુણકુમાર મિશ્રાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ખાનગી વાહનમાં અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: