Satya Tv News

  • વડોદરાના નવાબજારની દુકાનોમાં લાગી ભીષણ આગ
  • ત્રણ દુકાનોમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ
  • ફાયર વિભાગ દ્વારા 80 ટકા આગ પર કાબૂ મેળવાયો
  • નવા મેયર નિલેશ રાઠોડને ઘટના અંગે જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વડોદરાના નવાબજારમાં આવેલી ત્રણથી ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં નવાબજારમાં મણિલાલ ડાહ્યાભાઈ અને ત્રણ દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેથી નવાબજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના લોકો દ્વારા આગને કાબૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જો કે, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અન્ય દુકાનોને પણ ઝપેટમાં લઈ લીધી હતી.

વડોદરાના નવાબજારની ત્રણ દુકાનોમાં આગ, મોટી દુર્ઘટના થઇ હોય તેવા દ્રશ્યો  સર્જાયા (VIDEO)
error: