Satya Tv News

અંકલેશ્વર સોનમ સૂરમિયા સોસાયટીમાં ત્રાહિત વ્યક્તિથી લોકો પરેશાન

વગર મજૂરીએ સોસાયટીની પ્રોટેક્શન દીવાન તોડી પાડતા લોકો લાલઘૂમ

પોતાનો રોષ સ્થાનિકોએ ઠાલવીયો મીડિયા સમક્ષ

https://fb.watch/jiI8sSUGXt/

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ સોનમ સૂરમિયા સોસાયટીના ગેટ નજીક પ્રોપર્ટી ધરાવતા ત્રાહિત વ્યક્તિ દ્વારા પ્રોટેક્શન દીવાલ તોડી પાડતાં સોસાયટી મેનેજમેન્ટ સહીત રહીશો લાલઘૂમ થયા હતા.

અંકલેશ્વર રાજપીપલા રોડ પર ગડખોલ ગામની સીમમાં સોનમ અને સૂરમિયા સોસાયટી આવેલ છે. જેમાં સોસાયટી મેનેજમેન્ટ દ્વારા વડાપ્રધાન મોદીના સૂત્ર સ્વચ્છ ભારતને આગળ ધપાવવા સોસાયટી સ્વચ્છ અને સુંદર બનાવી રહ્યા છે. જેના ભાગરૂપે સોસાયટી આગળ રહેલ કબાડી અને ગેરકાયદેસર લારી ગલ્લાઓને હટાવી કોમન પ્લોટ સુંદર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની હતી ત્યાં તો સોસાયટીમાં પ્રોપટી ધરાવતા અને ભરૂચ ખાતે રહેતા જય પટેલ નામના તત્રાહિત વ્યક્તિ દ્વારા સોસાયટી અને કોમન પ્લોટની પ્રોટેક્શન દીવાલ તોડી પાડી નુકશાન પહોંચાડયું હતુ. અને તેને સોસાયટી મેનેજમેન્ટ દ્વારા બનાવવાનું કહેવામાં આવતા લુખ્ખી દાદાગીરી કરી કહેલ કે જે થાય તે કરી લો હું દિવાલ નહિ બનાવું તેમ કહ્યું હોવાના સોસાયટી રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેથી સોસાયટીના રહીશો દ્વારા મીડિયા સમક્ષ રજુઆત કરી કાયદેસરના પગલા ભરવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ કરણસીંગ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: