Satya Tv News

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતિ-૨ સોસાયટીમાં ઘર પાસેથી પસાર થતી વીજ લાઈન ઉપર લંગર નાંખવા જતા બે બાળકોને વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતિ-૨ સોસાયટીમાં રહેતા ૧૦ વર્ષીય આકાશ મંડલ અને 12 વર્ષીય હેમતા મંડલ બંને ગતરોજ બપોરે પોતાના ઘરની ગેલેરીમાં લોખંડનો સળીયો લઇ રમી રહ્યા હતા તે દરમિયાન ઘરની પાસેથી પસાર થતા જીવંત હાઈ ટેન્શન વીજ લાઈન ઉપર લંગર નાંખવા જતા બંને બાળકોને ધડાકા સાથે જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.વીજ કરંટ લાગતા તેઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા.બંને બાળકોને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.ઉલ્લેખનીય છે કે બંને બાળકોના માતાપિતા રોજગાર અર્થે બહાર ગયા હતા તે સમયે ઘરમાં બંને બાળકો એકલા હતા અને ત્યારે આ બનાવ બન્યો હતો.બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

error: