Satya Tv News

સુરતના વરિયાવ ગામે તાપી નદીમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે. ઘટના જાણ સિંગણપોર પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળક ખોડખાપણ વાળું નવજાત બાળક છે. ખોડખાપણ વાળું હોવાથી નિષ્ઠુર માતા-પિતાએ તાજા જન્મેલા બાળકને તાપી નદીમાં ફેંકી દીધું હોવાના પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ આધારે જાણવા મળ્યું છે કે, મૃત બાળક ખોડખાપણવાળું હતું.તે 15થી 20 દિવસ પહેલાં જ જન્મેલ હતું. બાળકને તેના નિષ્ઠુર મતા-પિતા દ્વારા કોઈ જગ્યાએથી તાપી નદીમાં ફેંકી દેવામાં આવ્યું છે. અથવા તો બાળકને પાણીમાં ડુબાડી મોત નીપજાવવામાં આવ્યું હોવાના પીએમ રિપોર્ટમાં ખુલાસા થયા છે.


બાળકના પી એમ રિપોર્ટના આધારે સિંગણપોર પોલીસે અજાણ્યા માતાપિતા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સ્થાનિક વિસ્તારમાં હાલ જ જન્મેલા બાળકોની વિગત મેળવી રહી છે, તે ઉપરાંત આસપાસના સીસીટીવી ફુટેજને કેન્દ્રમાં રાખી બાળકને ત્યજી દેનાર માતા પિતા ને શોધવા આગળની તપાસ હાથ ધરી છે.

error: