વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા નીકળી હતી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા
આમંત્રિત મહેમાનોના હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો
રામ નવમી નિમિત્તે કરાયું હતું શોભાયાત્રાનું આયોજન
ભરૂચ જીલ્લાના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા શ્રી રામના નામથી
ભરૂચ જીલ્લામાં શ્રીરામ મહોત્સવની વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામ નવમી નિમિત્તે ભવ્ય શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી.જયારે શોભાયાત્રામાં આમંત્રિત મહેમાનોના હસ્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
ભરૂચ જીલ્લામાં શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ભરૂચ શહેર તથા જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના રામનવમી નિમિત્તે સોનેરીમહેલ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી, ત્યારે ભગવાન શ્રીરામના નારાઓથી શહેરના માર્ગો પર ગુંજી ઉઠ્યા હતા..આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી જય શ્રી રામના નામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ