Satya Tv News

ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં વેપારીઓ દ્વારા શિવમ જોહરી (32) નામના એક ટ્રાન્સપોર્ટના મેનેજરને થાંભલે બાંધીને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેના મૃતદેહને હોસ્પિટલની બહાર ફેંકી દીધો હતો. આ ઘટના મંગળવારે બની હતી અને બુધવારે તેનો વીડિયો સામે આવ્યો હતો. શિવમના આવતા મહિને જ લગ્ન થવાના હતા.

ટ્રાન્સપોર્ટ મેનેજર શિવમના પિતાએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટમાં કપડાં ચોરી કરવાના આરોપમાં વેપારીઓએ શિવમ અને કંપનીના અન્ય 4 કર્મચારીને માર માર્યો હતો, જેમાં તેમ મોત થયું હતું. ઘાયલ કર્મચારીઓનું કહેવું છે કે વેપારીઓએ શિવમને સ્વિમિંગ પૂલમાં લટકાવીને વીજકરંટ આપ્યો હતો. શિવમના પિતાએ હત્યાના આરોપમાં બે બિઝનેસમેન સહિત 7 વિરુદ્ધ FIR નોંધાવી છે.

પિતા અધીર જોહરીએ જણાવ્યું હતું કે કન્હૈયા હોઝિયરી નામની કાપડની ફેક્ટરી છે. આ ફેક્ટરીનું સમગ્ર મટીરિયલ સૂરી ટ્રાન્સપોર્ટ દ્વારા બહાર મોકલવામાં આવતું હતું. શિવમ સૂરી ટ્રાન્સપોર્ટમાં મેનેજર હતો. 4-5 દિવસ પહેલાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી કપડાંની 3-4 ગાંસડીની ચોરી થઈ હતી. વેપારીઓએ મારા પુત્ર અને કંપનીના કેટલાક કર્મચારીઓ પર આનો આરોપ લગાવ્યો હતો. પુત્રએ માહિતી આપી હતી કે નીરજ અને બંકિમે તેના પર સામાન ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો.
અધીર જોહરીએ સદર બજાર પોલીસ સ્ટેશનમાં કન્હૈયા હોઝિયરીના માલિક નીરજ ગુપ્તા અને સૂરી ટ્રાન્સપોર્ટના માલિક બંકિમ સૂરી સહિત 7 લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પિતાનો આરોપ છે કે આ લોકોએ જ શિવમ પર કપડાં ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેને કાગળ પર ચોરીની કબૂલાત કરવાની ફરજ પડી હતી. ના પાડવા પર તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો

શિવમ શાહજહાંપુરમાં જોહરી ચોક વિસ્તારના મોહલ્લા અઝીઝગંજમાં રહેતો હતો. તે 7 વર્ષ સુધી સૂરી ટ્રાન્સપોર્ટનો મેનેજર હતો. પિતા અધીર જોહરીના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે શિવમ ગોડાઉનમાં જવાનું કહીને નીકળી ગયો હતો. પોલીસે નીરજ ગુપ્તા અને બંકિમ સૂરીને કપડાં ચોરીના મામલામાં પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ પછી સાંજે ફોન આવ્યો. તેણે જણાવ્યું કે શિવમ મેડિકલ કોલેજમાં દાખલ છે. તેને વીજકરંટ લાગ્યો છે. હું ત્યાં પહોંચ્યો ત્યારે શિવમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેના આખા શરીર પર ઈજાનાં નિશાન હતાં. આટલું જ નહીં, શરીર પર અનેક જગ્યાએ દાઝ્યાનાં નિશાન હતાં. એવું લાગતું હતું કે તેને વીજકરંટ આપવામાં આવ્યો હતો. આખું શરીર કાળું પડી ગયું હતું.

પિતા અધીર જોહરીના કહેવા પ્રમાણે, પુત્રના મૃત્યુ બાદ તેઓ રાત્રે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, પરંતુ પોલીસકર્મીઓએ કેસ નોંધવામાં આનાકાની કરી હતી. આ પછી એસપી પાસે ગયો હતો. તેમની સૂચના પર સીઓ સિટી અને ઈન્ચાર્જ અમિત પાંડે સરકારી મેડિકલ કોલેજ પહોંચ્યા. ત્યાંથી પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. સીઓ સિટીએ જણાવ્યું હતું કે શિવમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આમાં તોડફોડની પુષ્ટિ થઈ છે. માર મારવાને કારણે મોતનો મામલો સામે આવ્યો છે.

બીજી તરફ, મામલો વધતો જોઈને એસપી એસ. આનંદ પણ મંગળવારે રાત્રે જ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. તેઓ મેડિકલ કોલેજથી સીધા કન્હૈયા હોઝિયરી પહોંચ્યા હતા. ત્યાંના ગોડાઉનમાં દરોડો પાડ્યો. સ્થળના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. આ મામલે એસપીનું કહેવું છે કે મહત્ત્વની કડીઓ મળી છે. એની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

વાંચો, પીડિત કર્મચારીઓના શબ્દોમાં, સમગ્ર કહાની… પીડિત રામ નિવાસ કહ્યું, ” ટ્રાન્સપોર્ટ માલિક સૂરીના પિતરાઈ ભાઈ અમને પાંચ લોકોને કન્હૈયા હોઝિયરીના ઘરે લઈ ગયા. તેમણે ટેરેસ પર લઈ ગયા અને બાંધી દીધા હતા. શિવમને અલગ થાંભલા સાથે બાંધી દીધો. ચોરીનો આરોપ લગાવીને કહ્યું. “તમે ક્યાં ક્યાં ચોરી કરી છે? બીજા ઘણા લોકો ત્યાં ઊભા હતા. લોકો વીડિયો બનાવી રહ્યા હતા. પછી એક કોરો કાગળ આપ્યો અને લખવાનું કહ્યું કે હું અહીં કામ કરું છું. આ જગ્યાએથી કાપડ ચોરાઈ ગયું છે, જેની અમે ચોરી કરી છે.”

અન્ય એક કર્મચારી રઘુવીરે કહ્યું, “કન્હૈયા હોઝિયરીએ અમને બધાને ચાબુક અને લાકડીઓ વડે માર માર્યો હતો. સ્વિમિંગ પૂલ પર લટકાવીને પાણીમાં વીજ કરંટ આપ્યો હતો. પાંચમા માળે સાંકળથી લટકાવીને માર માર્યો હતો અને ટ્રાન્સપોર્ટ માલિક બંકિમ સુરી ત્યાં જ ઊભા હતા.” તો પણ તેઓ ના પાડી રહ્યા નહોતા. તેણે કહ્યું હતું કે અમારે કોઈ લેવા-દેવા નથી, આ લોકોને મારી નાખો. શિવમને માર મારવામાં આવ્યો. તેમણે કહ્યું હતું કે જે મરી ગયો છે તેના માટે જુબાની આપશો નહીં, જો તું જુબાની આપશો તો તને પણ મારી નાખીશું. પરિવારના સભ્યોની લાશ પણ મળશે નહીં.

​​​​​​​આ તમામ કર્મચારીઓને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. એસપી સિટી સુધીર જયસ્વાલ, સીઓ સીટી વીએસ વીર સિંહ, સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમિત પાંડે આ મામલે તપાસ કરી રહ્યા છે. મૃતકના કાકાએ જણાવ્યું હતું કે આ મોટા વેપારી લોકો છે. મારા ભત્રીજાની હત્યા કર્યા બાદ આ લોકોએ તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે, જેના કારણે પોલીસે હજુ સુધી કાર્યવાહી કરી નથી, પરંતુ હું તંત્ર અને સરકારને મારા ભત્રીજાને ન્યાય અપાવવાની અપીલ કરું છું. તેના હત્યારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

આ સમગ્ર મામલે એસપી એસ. આનંદે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરની હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક બંકિમ સૂરી અને કન્હૈયા હોઝિયરીના માલિક નીરજ ગુપ્તા નામના સાત લોકોમાં સામેલ છે. આ કેસનો જે વીડિયો સામે આવ્યો છે, તેની તપાસ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં જ મામલો સામે આવશે.

error: