Satya Tv News

જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા 15 વર્ષની સગીર વિદ્યાર્થિની પર આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી ફરિયાદને લઈને જામનગર પોલીસ દ્વારા આચાર્ય મનીષ બુચનો કબજો વડોદરાથી મેળવી જામનગરના સ્પેશિયલ પોક્સકો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની દલીલોને ધ્યાને લઈ ગંભીર ગુનાને અનુસંધાને કોર્ટે પણ સમાજમાં કલંકરૂપ આ ઘટનાને ગણી પીડિતા અને પીડિતાના પરિવારને ન્યાય મળે તે હેતુથી 24 એપ્રિલ 2023 બપોરે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરતા મનીષ બુચને પોલીસ જાપ્તા વચ્ચે પોલીસ કસ્ટડીમાં લઈ જવાયો છે.

error: