Satya Tv News

વદોડરાના મકરપુરા વિસ્તારમાં આવેલ જીજી માતાના તળાવમાંથી મકરપુરા GIDCમાં રહેતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન બે દિવસથી ગુમ હતો. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા મકરપુરા વિસસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. યુવાને આપઘાત કરી લીધો હોવાના અનુમાન સાથે પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે આજે સવારે મકરપુરા જીજી માતા તળાવમાં એક યુવાનનો મૃતદેહ તરી રહ્યો હતો. સ્થાનિક લોકોએ તળાવમાં તરતો મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરા હતી. જેથી તુરંત જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને બહાર કઢ્યો હતો. તળાવમાંથી મૃતદેહ મળ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

તળાવમાંથી મૃતદેહ બહાર કઢ્યા બાદ તેની તપાસ કરતા આ યુવકનું નામ દિનેશ સુરેશભાઇ ઠાકોર (ઉં.વ.35) હોવાનું અને મકરપુરા જી.આઇ.ડી.સી.માં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા તળાવમાંથી દિનેશનો મૃતદેહ મળી આવ્યાની પરિવારજનોને જાણ કરતા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહ દિનેશનો હોવાની ઓળખ આપી હતી.

તળાવ કિનારે લોકોના ટોળા ઉમટ્યા.

દરમિયાન પોલીસે દિનેશના મોત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દિનેશ ઠાકોર છેલ્લા બે દિવસથી ગુમ હતો. આજે સવારે તેનો મૃતદેહ જીજી માતાના તળાવમાંથી મળી આવતા પોલીસે દિનેશે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવી તપાસ હાથ ધરી છે. જોકે, દિનેશ ક્યાં કારણોસર બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો તે અંગેની કોઇ માહિતી મળી નથી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી.

આ બનાવ અંગે મકરપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મકરપુરા વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

error: