Satya Tv News

ભરુચમાં બસ ચાલકનું કરુણ મોત નીપજ્યું
હિટ એન્ડ રનની ઘટનામાં ચાલકનું કરુણ મોત
લક્ઝરી બસ ચાલકને ગંભીર ઈજાઓ પહુંચી
સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભરૂચ નેશનલ હાઇવે ઉપર સ્વામિનારાયણ મંદિર સામેના સર્વિસ રોડ પર ટ્રક ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું

YouTube player

ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે લક્ઝરી બસ નંબર-જી.જે.૧૬.એ.યુ.૩૮૮૮નો ચાલક ઇશાક અબ્બાસ ઠાકોર ભરૂચથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન સ્વામિનારાયણ મંદિર સામેના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં લક્ઝરી બસ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: