Satya Tv News

ભરૂચમાં સ્વ.જવાહરલાલ નહેરૂને પુષ્પાંજલિ અર્પણ
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલીનો કાર્યક્રમ
સ્વતંત્રતામાં જવાહર નેહરુનું મહત્વનું યોગદાન
નગરપાલિકા વિપક્ષ નેતા સહીત કાર્યકરો ઉપસ્થિત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો.

YouTube player

ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વ. જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહર નેહરુનું મહત્વનું યોગદાન હતું.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની નિવ પણ જવાહરલાલ નહેરુએ જ મૂકી હતી. ત્યારે તેવા દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ , સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા,સંદિપ માંગરોળા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: