Satya Tv News

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણની ઘટના બની હતી

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામે જૂથ અથડામણની ઘટના બની હતી. સાંકળી ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. બંન્ને જૂથના લોકો ધારીયા અને લાકડીઓથી એકબીજા પર તૂટી પડ્યા હતા. આ જૂથ અથડામણમાં બંન્ને જૂથના 15 લોકોને ઇજાઓ થતા 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતું કે ખેતરની જમીન બાબતે જૂથ અથડામણ થયુ હતું. વઢવાણ પોલીસ સાંકળી ગામે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. કોઇ અનિચ્છનિય ઘટના બના બને તે માટે હાલમાં ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે.

error: