Satya Tv News

દુનિયામાં સૌથી મોટો સંબંધ ભાઈ-બહેનનો હોય છે. બહેન પોતાના ભાઈ માટે ભગવાન સામે પણ લડી લેતો હોય છે, તો વળી ભાઈ પોતાની બહેનની રક્ષા કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ બહેન બે શરીર અને એક જાન પણ છે, જીવતેજીવ આ સંબંધમાં એક બહુ મોટો પ્રેમ સ્નેહ જોવા મળે છે. પણ ભીલવાડામાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં બહેનના મૃત્યુ બાદ તેના ભાઈએ સળગતી ચિતામાં છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવતા જ શ્મશાનમાં બધા દોડવા લાગ્યા અને ભાઈને બહેનની ચિતામાં બહાર કાઢી જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. હાલમાં તેના ભાઈની હાલત નાજૂક હોવાનું કહેવાય છે.

શ્મશાનમાં બેઠેલા પરિવાર હીરાલાલ ભીલે કહ્યું કે, માંકિયાસના રહેવાસી સુખદેવના કાકાની દીકરીનું મોત થઈ ગયું હતું. જે બાદ સ્થાનિક મોક્ષધામમાં મીનાના અંતિમ સંસ્કાર કર્યા હતા, પરિવારના બધા લોકો ત્યાં હાજર હતા. સુખદેવે પોતાની બહેનના મોતને લઈને ખૂબ પરેશાન હતો, જે બાદ તેણે સળગતી ચિતામાં છલાંગ લગાવી દીધી. જે બાદ ત્યાં હાજર લોકોએ તેને ચિતામાં બહાર કાઢ્યો અને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલે છે અને તેની હાલત ગંભીર છે.

error: