ભરૂચ જીલ્લા બિપરજોયની અસર
જીલ્લામાં તંત્રની આળશ અને શાળા મેનેજમેન્ટનો અભાવ
વહીવટી તંત્રે મોડી રાતે રજા રાખવા આચાર્યો પર નિર્ણય ઢોળ્યો
સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા
ભરૂચ જિલ્લાની શાળાઓ બહાર કેટલાય લોકો અટવાયા
વિધાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધિના વાહનોને પરત ઘરે મોકલાયા
કેટલીક શાળાઓ કાર્યરત તો ગામડાના છાત્રોને વેઠવી પડી હાલાકી
બિપોરજોય ચક્રવાતના લેન્ડફોલ બાદ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની પ્રબળ શકયતા વચ્ચે ભરૂચ જિલ્લાનું તંત્ર સલામતીસર શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે જાગ્યું હતું.
:
ભરૂચ જિલ્લા તંત્રે શુક્રવારે શાળાઓમાં રજા અંગેનો નિર્ણય છેક રાતે 11 કલાકે લીધો હતો. તેમાં પણ વિષમ સ્થિતિમાં આચાર્યોએ વિવેક બુદ્ધિ વાપરી રજાનો નિર્ણય લેવા ધોળી દેવાયું હતું. શુક્રવારે વહેલી સવારે વાલીઓ અને વિધાર્થીઓ સાથે સ્કૂલ બસ, ઓટો અને વાન શાળાએ પોહચ્યા બાદ તેઓને પાટિયા જોઈ રજા હોવાની જાણ થઈ હતી. સ્કૂલોમાંથી રજાના મેસેજ સવારે કલાકે કરવામાં આવ્યા હતા. જે કેટલાય વાલી અને વિદ્યાર્થીઓએ જોયા પણ ન હતા.
સવારે તૈયાર થઈ શાળાએ પોહચ્યા બાદ પરત ઘરે જવાનો વારો આવ્યો હતો. સૌથી ખરાબ હાલત ગામડાના વિદ્યાર્થીઓની થઈ હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં અમુક શાળાઓ ચાલુ પણ રહી હતી.
આ પરિસ્થિતિમાં નિર્ણયમાં વિલંબ તંત્ર દ્વારા કરાયો અને શાળા મેનેજમેન્ટ નિષ્ફળ નીવડ્યું તેમાં ભોગ વાલીઓ, વિધાર્થીઓ, વાન વાળા બન્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ