Satya Tv News

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે આવેલ પદ્માસિદ્ધ હેલ્થ કેર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડેલ યુવાનનું મોત નીપજ્યું હતું

પંજાબના સલેમ પુર ખાતે રહેતા જસવિંદર કૌર જાટનો ભાઈ ગુરુદીપસિંગ ઈકબાલસિંગ ગત તારીખ-૨૫મી મેના રોજ પોતાના મિત્રો સાથે ઘરે જવાનું કહી ગોવા ખાતે ગયો હતો જેને તેના પરિવારજનો પંજાબ ખાતે લઇ જતા હતા તે દરમિયાન અંકલેશ્વર ખાતે બીમાર હોવાનું જણાવતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે આવેલ પદ્માસિદ્ધ હેલ્થ કેર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર માટે કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

error: