Satya Tv News

GIDC જોગર્સ પાર્ક ગાર્ડન 5 દિવસ માટે બંધ
ગાર્ડનનું સમારકામ કરવાનું હોવાથી બંધ
ગૌરી વ્રતમાં જ કેમ બંધ કર્યું ?તેવા સવાલો ઉઠ્યા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક ગાર્ડનને આજથી પાંચ દિવસ માટે સમારકામને પગલે બંધ કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા જોગર્સ પાર્ક ગાર્ડનનું સમારકામ કરવાનું હોવાથી તારીખ-૨૮મી જુનથી ૨જી જુલાઈના રોજ બંધ કરવામાં આવ્યું છે.જેને પગલે ગૌરી વ્રતમાં જ બાળકીઓ જોગર્સ પાર્ક ગાર્ડનને ઉપવાસના સમયે જ જઈ નહિ શકે તેવી નિર્ણય કરવામાં આવતા જ બાળકીઓ સાથે તેઓના પરિવારજનોમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.ત્યારે ગાર્ડનનું સમારકામ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં જ કેમ લેવું કરવું પડ્યું તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

વિડીયો જર્નાલિસીટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: