Satya Tv News

ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં તારાજી સર્જાઈ છે. ધોધમાર વરસાદથી હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. જેથી PM મોદીએ હિમાચલ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સહાયની ખાતરી આપી છે.

સતત ભારે વરસાદને કારણે ઉત્તર ભારતમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ધોધમાર વરસાદથી હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન અને વૃક્ષો ધરાશાયી, અને વીજળી પડવા જેવી ઘટનાઓમા અત્યાર સુધીમાં લગભગ 60 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ અનેક વિસ્તારમાં ભેખડો ધસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં કુલ 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે.

error: