Satya Tv News

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે જૂથ અથડામણમાં બે સગાભાઈઓનાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. જમીન બાબતે મનદુઃખમાં જૂથ અથડામણ થઈ હતી.જેમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલુ અથડામણ લોહીયાળ અથડામણ સાબિત થયું હતું. એક મહિલા સહિત 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાજુ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની મૃતકના પરિવારજનોએ ચીમકી આપી છે. આ ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ પહોંચ્યા હતા.

સમઢિયાળા ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થઈ હિંસક હથિયારો વડે જૂથ અથડામણ થયુ હતું. આ બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યકિતના સારવાર દરમિયાન મોત નિપજયા છે. તો એક મહિલા સહિત 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જમીન બાબતના મનદુઃખમાં જૂથ અથડામણ થઈ હતી. જુથ અથડામણમાં બે વ્યકિતના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બે સગા ભાઈઓના મોત
જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિનાં જૂથો સામસામે બાખડી પડ્યાં હતાં. તલવાર, ધારિયા સહિતનાં હથિયારોથી સામસામે હુમલો કરાયો હતો. આ ઘટનામાં 2 આધેડના સારવાર દરમિયાન મેડિકલ કોલેજમાં મોત થયાં છે.

error: