Satya Tv News

સુરતમાંથી એક દુઃખદ સમચાર આવ્યા છે. સુરતના જોળવા ગામે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વીજળી પડતા બાળકનું મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.

બાળકના મૃત્યુની ઘટના સહન નહીં કરી શકતા માતા મૃત અવસ્થામાં રહેલા બાળકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન થઈ ગયો હતો. હાલ સુરતની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે.

ગઈકાલે ઝાલાવાડમાં વરસાદી માહોલ છવાતા સાયલા તાલુકાના ત્રણ ગામોમાં વીજળી ત્રાટકી હતી. જેમાં એક કિશોર અને એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. સાયલાના ધમરાળા ગામના ખેતરમાં વીજળી પડતા 13 વર્ષના કિશોરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નવાગામ ગામે ખેતરમાં વીજળી પડતા ચેતન રઘુભાઇ ચૌહાણ નું મૃત્યુ નિપજ્યું હતું.

error: