Satya Tv News

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર વીજ કરંટ લાગવાથી 10 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો છે. ચમોલી દુર્ઘટના પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મૃતકોના પરિવારજનો ઉર્જા નિગમ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ નિગમ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

error: