Satya Tv News

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
20 07 2023 ગુરુવાર
માસ અધિક શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ
નક્ષત્ર આશ્લેષા સવારે 10.53 પછી મઘા
યોગ સિદ્ધિ સવારે 11.20 પછી વ્યતિપાત
કરણ તૈતિલ
રાશિ કર્ક (ડ.હ.) સવારે 10.53 પછી સિંહ (મ.ટ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ (બ.વ.ઉ.)
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને તેમજ ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે અને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે, પારિવારિક શાંતિ જળવાય

મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ પરિવારમાં સારા કામનું આયોજન થાય અને સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને, અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક (ડ.હ.)
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને તેમજ પરિવારમાં વાતાવરણ આનંદમય રહે અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.)
નવા કામકાજની શરુઆતથી લાભ થાય તેમજ પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું તેમજ પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે અને જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા (પ.ઠ.ણ.)
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે અને સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય અને પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.)
આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ ધંધામાં ધનલાભની સંભાવના અને મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.)
કામકાજમાં જવાબદારી વધે તેમજ વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય અને દામ્પત્ય જીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકોને રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને તેમજ સાહસ પરાક્રમથી સફળતા મળે અને નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના છે તેમજ ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર (ખ.જ.)
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય તેમજ જમીન-વાહન લેવા માટે સારો સમય અને પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે તેમજ માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.)
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય તેમજ મુસાફરીના યોગો જણાય છે

મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો તેમજ પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે અને ધન સંબંધી ચિંતાઓ હળવી થશે અને સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

error: