Satya Tv News

સાવલી તાલુકાના કનાડા પોઇચા નજીક મહીસાગર નદીમાં ગઈ મોડી રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું હતું તે દરમિયાન રણછોડપુરા ગામના એક યુવકનો પગ લપસતા તે નદીમાં ડૂબ્યો હતો.

યુવકને બચાવવા માટે બીજા બે યુવકો પણ નદીમાં પડતા તેઓ પણ ડૂબ્યા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ તેમજ વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સબ ઓફિસર જશુભાઈ વાઘેલાએ કહ્યું હતું કે ત્રણ પૈકીના એક યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે. બનાવના સ્થળે આવેલા ધારાસભ્ય કયું હતું કે, ગુમ થયેલા યુવકોના નામ સંજય, કૌશિક અને વિશાલ છે. જેમાં સંજયનો મૃતદેહ હાથ લાગ્યો છે.

error: