Satya Tv News

ભાવનગર શહેરમાં ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ પલટી જતાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની આ ઘટના ઉમરાળાના પરવાળા ગામ પાસે બની હતી. બસ ગારિયાધારથી સુરત જઈ રહી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. સંતભૂમિ નામની ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. બસ પલટતા 10થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે, જ્યારે ઘાયલોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગારીયાધારથી સુરત જતી ખાનગી બસ ઉમરાળા તાલુકાના પરવાળા ગામ પાસે પલટી મારી,ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાની ચર્ચા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ટીંબી હોસ્પિટલ અને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

error: