Satya Tv News

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા ગાયત્રીબેન કઠેરીયાએ ગતરોજ ફ્લેટના બી બ્લોકના 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા અમરાઈવાડી પોલીસની ટીમ પરિષ્કાર એપાર્ટમેન્ટ ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પરિવારના નિવેદનમાં સામે આવ્યું કે, મહિલા ઘણા સમયથી માનસિક રીતે બીમાર હતી.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે અગાઉ આ જ સોસાયટીમાં રહેતા જુદા-જુદા ત્રણ વ્યક્તિઓએ પણ ટેરેસ પરથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

error: