Satya Tv News

બે શ્રમજીવીને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક શ્રમજીવીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે શ્રમજીવીને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર મોટી ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડતા ક્રેન નીચે દબાઈ જવાથી શ્રમજીવી મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

error: