Satya Tv News

સુરત: કામરેજના પરબ ગામે ગોજારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે 4 વાગે કાચું મકાન ધરસાયી થયું હતું. આ ઘરમાં પતિ,પત્ની, દીકરો અને દીકરી સુતા હતા. મકાન ધરાશાયી થતા 12 વર્ષીય દીકરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

કામરેજના પરબ ગામે ગોજારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે 4 વાગે કાચું મકાન ધરસાયી થયું હતું. આ ઘરમાં પતિ,પત્ની, દીકરો અને દીકરી સુતા હતા. મકાન ધરાશાયી થતા 12 વર્ષીય દીકરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે 6 વર્ષનો પુત્ર અને દંપત્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા આજુ બાજુના રહીશો દોડી આવ્યા હતા અને તમામ લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ આ ઘટના અંગે 108ને જાણ કરવામાં આવી હતી. જે બાદ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બાળકીના મોતને પગલે અરેરાટી મચી ગઈ છે.

error: