Satya Tv News

ભાભરમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો 38 વર્ષનો નરશીભાઈ ઠાકોર નામનો યુવક મંગળવારે સાંજે પોતાના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન રાધે સ્કૂલ નજીક રસ્તામાં આંખલો અથડાયો હતો. જેમાં આંખલાનું શિંગડું યુવકના ગળામાં ઘુસી ગયું હતું. આથી ગંભીર હાલતમાં તેમને ભાભર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેનું મોત થઈ ગયું. યુવકના મોતના સમાચાર મળતા જ સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. નરશીભાઈના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.

error: